This audio Explains on mission mangalam ઉદ્દેશ ગરીબી રેખા નીચે જીવતા પરિવારના સભ્યોને સખીમંડળો સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેમને બેંકો સાથે અને લઘુધિરાણ જોડી, સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્ય તાલીમ અને માર્કેટીંગ જોડાણ આપી કાયમી આજીવિકા સાથે જોડીને ગરીબીમાંથી બહાર લાવવા. મળવાપાત્ર લાભ ઉપરોક્ત ઉદ્દેશ પામવાની પ્રથમ ચરણ એટલે સખીમંડળો/સ્વસહાય જુથોને રૂ.50,000/- થી રૂ.1,00,000/- (પચાસ હજાર થી એક લાખ) સુધીની કેશ ક્રેડીટ આપવાનું આયોજન. છ માસ પૂર્ણ કરેલ સ્વસહાય જુથ/સખીમંડળને છ માસ પૂર્ણ થયાના 30 દિવસની અંદર ગ્રેડીંગ કરવામાં આવશે. ગ્રેડીંગમાં પાસ થતાં દરેક જુથને ઓછામાં ઓછા રૂ.50,000/- અને વધુમાં વધુ રૂ.1,00,000/- માઈક્રો ફાઈનાન્સ કેશ ક્રેડીટ દ્વારા આપવામાં આવશે. આ રકમનો ઉપયોગ સખીમંડળ/સ્વસહાય જુથો વિવિધ આર્થિક પ્રવૃત્તિ કરવા કે અન્ય ઉદ્દેશ માટે કરી શકશે. વધુમાં વધુ આ કેશ ક્રેડીટ છે એટલે કે સખીમંડળ ગમે ત્યારે જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકે છે અને જયારે પૈસાની સગવડ થાય ત્યારે બેંકમાં અનુકુળતા મુજબ જમા કરાવી શકે છે. જેટલી રકમ જેટલા સમય માટે ઉપાડવામાં આવે તેટલી રકમ પર જ વ્યાજ આપવાનું રહેશે. માર્ગદર્શિકા ફેડરેશનની માર્ગદર્શિકા સખી મંડળ યોજના સ્ત્રોત: જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નડીયાદ