સન ૨૦૧૦ સુધીમાં ગુજરાત સરકાર રાજ્યની ૭૫ ટકા વસ્તીને વોટર ગ્રીડથી પાણી પુરુ પાડવાનું આયોજન ધરાવે છે. રાજ્યએ વોટર ગ્રીડ ઉપરાંત ભૂગર્ભજળની નીચા જતા તળને ઊંચા લાવવા માટે પણ જનઆંદોલન ઊભું કર્યુ છે. આ જનઆંદોલન હેઠળ રાજ્યએ ૮૭,૧૭૯ ચેક ડેમ( ચેકડેમમાં નાની નદી અને વોકળા પર બંધપાળા કરી પાણી રોકવામાં આવે છે) ૩૫,૩૭૯ બોરીબંધ( કોથળામાં રેતી ભરી બોરીબંધ બનાવવામાં આવે છે) ૧,૩૦,૨૬૨ ખેત તલાવડી ૫,૫૫૧ તળાવ ઊંડા કરવામાં આવ્યા. રાજ્ય સરકારે જળસંગ્રહ થકી કિસાનો સમૃદ્ધ બને અને સંગ્રહ થયેલા પાણીના વહેંચણીના મુદ્દે મતભેદો ન સર્જાય તે માટે સને ૨૦૦૭માં વિધાનસભામાં ગુજરાત વોટર યુઝર્સ પાર્ટીસીપેટરી ઈરિગેશન મેનેજમેન્ટભ બિલ પસાર કર્યુ. આ બિલની જોગવાઈ મુજબ કેનાલના પાણીનો ઉપયોગ કરવા ઈચ્છરતા ખેડૂતોએ વોટર યુઝર્સ એસોસિએશન બનાવવા પડશે. આમ, સરકારે જળવ્ય વસ્થારપનમાં પણ લોકભાગીદારીનું તત્ત્વ જળવાય તેનું ખાસ ધ્યાવન રાખ્યું છે. સ્ત્રોત: ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ