<div id="MiddleColumn_internal" style="text-align: justify; "> <h3>સમુદાય આધારિત પુનઃવસન યોજના</h3> <ul> <li class="normalText">રાજય સરકારે વિકલાંગ વ્યકિતઓના શિક્ષણ, તાલીમ અને સામુહિક પુનઃસ્થાપન માટે તા.૪-૧-૨૦૦૧ના રોજ મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય આધારિત વિકલાંગ પુનઃસ્થાપના યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ અપંગોને શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને પુનઃસ્થાપન લગતી વિવિધ જાણકારી તથા લાભો તાલુકા / ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થાય તે હેતુથી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૨૦ તાલુકામાં કામગીરી પૂર્ણ થયેલ છે. ૧૯ તાલુકામાં કામગીરી ચાલુ છે.</li> <li class="normalText">આ યોજના હેઠળ એક સુપરવાઈઝર તથા બાર ફિલ્ડવર્કરની નિમણુંક કરવામાં આવે છે. જેઓ પોતાને ફાળવેલ ક્લસ્ટરમાં વિકલાંગોના પુનઃ સ્થાપન માટે સર્વે કરી જરૂરી લાભો અપાવે છે.</li> </ul> સ્ત્રોત: <a class="ext-link-icon" href="http://sje.gujarat.gov.in/dsd/showpage.aspx?contentid=1579&lang=Gujarati" target="_blank" title="Click here">નિયામક, સમાજ સુરક્ષા </a></div>