શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાતવાળા (વિકલાંગ) બાળકોની કામગીરીની વિગતો : સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ૬ થી ૧૪ વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત, ફરજિયાત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે. આ માટે આપની આસપાસના વિસ્તારમાં શાળામાં કદી ન ગયેલ. શાળામાંથી ધો-૮ પૂર્ણ કર્યા સિવાય શાળા છોડી ગયેલ, વિશિષ્ટ જરૂરિયાતવાળા (વિકલાંગ) સહિતનાં તમામ બાળકોનું નામાંકન શિક્ષણનું સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત પ્રારંભિક શિક્ષણ પૂરું પાડવાનું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો નીચે મુજબ છે. સર્વેઃ દર વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ માટે શાળા કક્ષાએથી શાળા વ્યવસ્થાપન સમિતિ સ્થાનિક તંત્ર અને તાલુકા કક્ષાના પ્રોજેક્ટ સ્ટાફ દ્વારા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની ઓળખ કરવામાં આવે છે આ ઉપરાંત ઓકટોબરની સ્થિતિએ ડાયસ ડેટા પણ એકત્રિત કરવામાં આવે છે. જેમાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોની વિગતો મેળવવામાં આવે છે. શાળા પ્રવેશ : સર્વેમાં ઓળખ થયેલ શાળા બહારનાં વિશિષ્ટ જરૂરિયાતવાળા તમામ બાળકોની પ્રવેશોત્સવ દરમિયાન વયના કક્ષાના મુજબના ધોરણમાં નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. પુસ્તકોઃ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ ધોરણ ૫ થી ૮ના બાળકોને બ્રેઈલ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. તેમજ લો-વિઝન બાળકોને લાર્જ પ્રિન્ટ પુસ્તકો / મેગ્નિફાઈ લેન્સ આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ / એસકોર્ટ એલાઉન્સ : ધોરણ-૧ થી ૮ના બહુવિધ વિકલાંગતા ધરાવતા બાળકોને શાળામાં નિયમિત આવે તે માટે હાજરીના ધોરણે બાળકના વાલીના ખાતામાં શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા બજેટ જોગવાઈ મુજબ ફાળવવામાં આવે છે. રીસોર્સ રૂમઃધોરણ-૧ થી ૮ની શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને તાલુકા કક્ષાના રીસોર્સ રૂમોમાં અઠવાડિયામાં એક દિવસ, તજજ્ઞો દ્વારા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને થેરાપી. (દા.ત. સાયકોલોજિસ્ટ, ફિઝિયોથેરાપીસ્ટ) અને માર્ગદર્શન આપવામાં આવે છે. સાધન સહાય :જે તે વર્ષની બજેટ જોગવાઈ મુજબ વિશિષ્ટ જરૂરિયાતવાળા ધોરણ-૧ થી ૮નાં બાળકોને તાલુકાવાર આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને એસેસમેન્ટ કરવામાં આવે છે અને સાધન સહાય આપવામાં આવે છે. વાલી/ એસ.એમ.સી. તાલીમ : વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના વિકાસ માટે તેમજ જરૂરી સંકલન માટે એસ.એમ. સી.ના સભ્યો અને બાળકોનાં વાલીઓની તાલુકા કક્ષાના રીસોર્સ રૂમ ખાતે તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવે છે. જેમાં વાલીને, આરોગ્ય, થેરાપી, સમાજિકરણ જેવા વિષયોની તાલીમ આપવામાં આવે છે. શિક્ષક તાલીમ : પ્રાથમિક શાળાઓમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા ધોરણ-૧ થી ૮નાં બાળકોનું સમાવેશન વધે તે માટે શિક્ષકોને તબક્કાવાર બાળકોની સંખ્યા મુજબ અભ્યાસક્રમ, વર્ગ વ્યવહારની તાલીમ આપવામાં આવે છે. વિશિષ્ટ દિવસની ઉજવણી : વિશિષ્ટ જરૂરિયાતવાળા ધોરણ-૧ થી ૮ના બાળકોનું સમાવેશન વધે તે માટે સફળ વિકલાંગોને લાગતા જુદા-જુદા દિવસો (બ્રેઈલ દિવસ, વિશ્વ વિકલાંગ દિવસ, સ્પેશિયલ ખેલ મહાકુંભ)ની તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવે છે. કરેક્ટિવ સર્જરી: આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને જરૂરિયાતવાળા બાળકોની માયનોર કરેકિટવ સર્જરી કરાવવામાં આવે છે. ટોલ-ફ્રી હેલ્પલાઈન: વાલી, બાળકો, શિક્ષકોના માર્ગદર્શન માટે રાજ્ય કચેરી અને જિલ્લાની તમામ કચેરી ખાતે ટોલફ્રી હેલ્પલાઈન સેવા શરૂ કરેલ છે. રાજય કચેરીનો નંબર : ૧૮૦૦-૨૩૩-૭૯૬૫ છે. સર્વ શિક્ષા અભિયાન મિશન અન્વયે રાજ્યભરમાં વિકલાંગ બાળકોને શિક્ષણ આપીને, સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ, સર્વ શિક્ષા અભિયાન મિશન (એસ.એસ. એમ.એ.) સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ ગુજરાત રાજય, (ફોન : ૦૭૯-૨૩૩૫૦૬૯, ૨૩૨૩૪૯૩૯, ફેક્સ : ૦૭૯૨૩૨૩૨૪૩૬) દ્વારા થઈ રહ્યો છે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા