ભારતના વરિષ્ઠ નાગરિકો માનભેર સંતોષપૂર્વક જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર કાર્યરત છે અને તેઓ માટે તબક્કાવાર યોજનાઓ તૈયાર કરી તેની અમલવારીનું કામ હાથ ધરાય છે. આ માટે ભારત સરકારે : વરિષ્ઠ નાગરિક માટેની રાષ્ટ્રીય નીતિ - ૧૯૯૯ (N.PO.P) ખરડો નંબર : ૪૦-સી : મા-બાપ અને વરિષ્ઠ નાગરિકોના નિભાવ અને કલ્યાણ માટેના ખરડો – ૨૦૦૭. (વૃદ્ધોના ભરણપોષણ, સારસંભાળ અને રક્ષણ માટે કેન્દ્ર સરકારે ધ મેઈન્ટેન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટિઝન્સ એક્ટ-૨૦૦૭” બહાર પાડેલ છે.) ગુજરાત સરકારે આ કાયદાના અમલ માટેનું તા.૭-૧૦-૨૦૦૮ના રોજ જાહેરનામું | બહાર પાડ્યું છે. જેથી ગુજરાતમાં આ કાયદો અમલમાં આવી ગયો છે. સરકાર કાયદાના અમલની જોગવાઈ અંગેના નિયમો ઘડી કાઢ્યા છે અને ટ્રીબ્યુનલની રચના કરી છે. જેથી તરછોડાયેલા વૃદ્ધો તેમના સંતાનો વિરુદ્ધ ફરિયાદ કરી શકે. ટ્રીબ્યુનલ સંતાનોને તેમના માતા-પિતાના ભરણપોષણ અને સારસંભાળ માટેના આદેશો કરી શકશે અને જવાબદારી ન સંભાળે તો દંડ અને સજા થઈ શકશે. વરિષ્ઠ નાગરિકો માટેની ટોલ ફ્રી હેલ્પ લાઈન : ૧૮૦૦ ૨૩૩ પપ૦૦ સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા