મેઈલ / એક્ષપ્રેસ ગાડીઓના મૂળ ભાડામાં જ રાહત મળવાપાત્ર છે. આરક્ષણ ફી, સુપરફાસ્ટ સરચાર્જ વગેરે પૂરાં ભરવાના થાય છે. આ રાહત માત્ર ટિકિટબારી કે આરક્ષણ કેન્દ્ર ઉપરથી જ પ્રમાણપત્ર રજૂ કર્યેથી મળશે. ચાલુ મુસાફરી દરમિયાન અધવચ્ચેથી રાહતનો લાભ મળી શકે નહીં. રાહતનો લાભ લેનાર પ્રવાસીએ પ્રવાસ દરમિયાન રાહત ટિકિટ, ઓળખપત્ર તબીબી પ્રમાણપત્ર જે હોય તે સાથે રાખવું પડશે. જ્યારે સિનિયર સિટિઝને ઉંમરનો પુરાવો સાથે રાખવાનો રહે છે. આ રાહત પેસેન્જર ગાડીઓમાં મળવાપાત્ર નથી. શતાબ્દિ/રાજધાની/એક્સપ્રેસ ગાડીઓમાં પણ તા. ૧-૭-૨૦૧૧થી રાહતનો લાભ શરૂ કરેલ છે. આ માટે વધુ જાણકારી મહત્ત્વના રેલવે સ્ટેશનો તથા જનરલ મેનેજર, આઈઆરસીએ, ચેમ્સફોર્ડ રોડ, નવી દિલ્હી પાસેથી અથવા રેલવેની વેબસાઇટ www.indianrailways.gov. and www.wr.railnet.gov.in ઉપરથી મળી શકે છે. નોંધ : પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરની ટ્રેનોમાં વિકલાંગ વ્યક્તિઓ માટે બે બેઠકો ઈયરમાર્ક કરવા બાબત. હેન્ડિકેપ્ટ કન્સેશનલ ટિકિટ પર મુસાફરી કરતી શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટે સ્લીપર કલાસમાં બે બેઠકો/બર્થ ઈયરમાર્ક કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ જે લોકો (1) ઓર્થોપેડિકલી હેન્ડિકેપ્ટ/પરા પ્લેજિક (૨) માનસિક રીતે નબળા (૩) દૃષ્ટિહીન અને (૪) સંપૂર્ણપણે શ્રવણમંદ (બંને ક્ષતિ એક સાથે એક જ વ્યક્તિમાં હોવી જોઈએ) હશે તેઓ તેમજ હેન્ડિકેષ્ઠ વ્યક્તિની જોડે મુસાફરી કરતી વ્યક્તિ પણ લઈ શકશે. આ બે બેઠકો/બર્થ માટેના રિઝર્વેશન ક્વોટા પશ્ચિમ રેલવેના તમામ રિઝર્વેશન કાઉન્ટરો પર ઉપલબ્ધ રહેશે. અમુક ટ્રેનોમાં ખાસ વિકલાંગો માટે અલગ ડબ્બો પણ જોડવામાં આવે છે. વૃદ્ધો (સિનિયર સિટિઝન્સ) ને : પ૮ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓને રેલવે ભાડામાં ૫૦ ટકા રાહત આપવામાં આવે છે કોઈ પણ હેતુ માટે બધા વર્ગમાં. ૬૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોને રેલવેભાડામાં ૪૦ ટકા રાહત આપવામાં આવે છે. કોઈ પણ હેતુ માટે બધા વર્ગમાં. રાજધાની / શતાબ્દિ | જન-શતાબ્દિ ટ્રેનમાં પણ જે તે વ્યક્તિ રેલવેમાં અગાઉથી ટિકિટ આરક્ષિત કરાવે તો આપોઆપ આ લાભ અપાય છે. (આ લાભ તા.૧-૯- ૨૦૦૧થી સ્વૈચ્છિક કરેલ છે.) આ લાભ કરંટ બુકિંગ (ટિકિટ ખરીદતી વખતે જણાવવામાં આવે કે, હું સિનિયર સિટિઝન છું તો પણ લાભ મળશે.) રાહત દરે ટિકિટ મેળવનાર દરેક વ્યક્તિએ ટિકિટનું બુકિંગ કરાવતી વખતે ઉંમરનો કોઈ પુરાવો આપવો પડશે નહીં, પરંતુ મુસાફરી કરતી વખતે પોતાની ઉંમરનો પુરાવો (દસ્તાવેજી સાબિતી) ટિકિટ ચેકર માંગે ત્યારે બતાવવાનો રહેશે. દા.ત., આઈડેન્ટિટી કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થાઓ જેવી કે, પંચાયત | કોર્પોરેશન | મ્યુનિસિપાલિટીએ આપેલ સર્ટિફિકેટ (રેલવે કાયદા અંતર્ગત દંડને ટાળવા પ્રવાસ દરમ્યાન વય અંગેની દસ્તાવેજી સાબિતી સાથે રાખવી જરૂરી છે. યુનિક નંબરવાળું કાર્ડઃ રેલવે મુસાફરી કરતાં વિકલાંગ વ્યક્તિઓને યુનિક નંબરવાળું આઈડી કાર્ડ આપવામાં આવશે. જેના થકી તેઓ ઓનલાઈન બુકિંગમાં પણ ટિકિટ ઉપર કન્સેશન મેળવી શકશે. આ અંગે સિનિયર ટ્રીબ્યુનલ કોમર્શિયલ મેનેજર, વેસ્ટર્ન રેલવે, અમદાવાદને ઉદ્દેશીને અરજી કરવાની રહેશે. જેની સાથે રેલવે કન્સેશનનું અરજદારના ફોટા સાથેનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર, સિવિલ હોસ્પિટલના વિકલાંગતા દાખલાનું પ્રમાણપત્ર, જરૂરી પ્રમામપત્રો, સરનામાનો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ | ઓળખપત્ર ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ) તથા બે પાસપોર્ટ સાઈઝના ફોટા આપવાના રહેશે. અસલ પ્રમાણપત્રો રૂબરૂ બતાવી દરેકની ઝેરોક્ષ નકલ આપવાની રહેશે. રેલવેમાં હવે એકલા મુસાફરી કરનાર દિવ્યાંગોને કન્સેશનનો લાભ મળશે. જે નિયમનો અમલ તા. ૧૫-૬-૧૬થી શરૂ થઈ ગયો છે. અગાઉ દિવ્યાંગ સાથે સહપ્રવાસી હોય તો જ કન્સેશનનો લાભ મળતો હતો. તાજેતરમાં રેલવેએ દિવ્યાંગો માટે કોચની લંબાઈ વધારવા તેમજ કોચના મુખ્ય દરવાજા પર રેમ્પ મૂકવાનો નિર્ણય લીધો છે. જેથી કોચમાં દિવ્યાંગો કોઈની મદદ વિના આરામથી જઈ શકશે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા