સુપ્રિમકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા યુસીને આદેશ કરીને અંધજનો માટે ખાસ બ્રેઈલલિપી આધારીત પેપરો તૈયાર કરવાનો ઓર્ડર કર્યો હતો, જેને પગલે યુજીસી દ્વારા પ્રથમવાર બ્રેઈલ લિપિમાં ૪૪ વિષયોમાં અંગ્રેજી અને હિન્દી ભાષાના પેપરો તૈયાર કર્યા હતા. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સેન્ટરમાં પ૨૭૭ સહિત રાજ્યમાંથી અંદાજે લાખથી વધુ ઉમેદવારોએ નેટ પરીક્ષા આપી હતી. સુપ્રિમના આદેશને પગલે યુજીસીએ ૪૪ વિષયોમાં બ્રેઈલ લિપિ પેપરો તૈયાર કર્યા: ગુજરાત યુનિ. ખાતેથી પર૭૭ ઉમેદવારોએ પરીક્ષા આપી. હવે અંધ ઉમેદવારો પણ આસિ. પ્રોફેસર બની શકશે અત્યાર સુધી દેશની ઉચ્ચ શિક્ષણની કોલેજોમાં અને અંધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અંધ ઉમેદવારો નહીં જોવા મળ્યા હોય પરંતુ હવેથી કોલેજોમાં વિદ્યાર્થીઓને અંધ પ્રોફેસરો પણ ભણાવતા નજરે પડશે. કારણ કે યુજીસી દ્વારા બ્રેઈલ લિપિ આધારીત પેપરો તૈયાર કરતા હવે અંધ ઉમેદવારો પણ સરળતાથી નેટ આપી શક્યું અને આ પરીક્ષા પાસ કરતા તેઓને કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની તક મળી શકશે. અંધ ઉમેદવારો માટે ખરેખર તેમના જીવનની આ એક મોટી ઉપલબ્ધિ હશે. સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા