શૈક્ષણિક ધિરાણ (વિકલાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ) શૈક્ષણિક ધિરાણ ટુંકા ગાળાના ઉચ્ચ અભ્યાસક્ર્મ માટે એક વર્ષના રૂ. ૩.૦૦ લાખ અને જે અભ્યાસક્રમમાં નોકરીની તકો વધારે હોય તેવા અભ્યાસક્રમ માટે વાર્ષિક મહતમ મર્યાદા રૂ. ૨.૦૦ લાખ અને વધુમા વધુમા વધુ રૂ. ૧૦.૦૦ લાખ/- પાંચ વર્ષના અભ્યાસક્ર્મ માટે, તથા વિદેશ અભ્યાસક્રમ માટે વાર્ષિક મહતમ મર્યાદા રૂ. ૪.૦૦ લાખ અને વધુમા વધુમા વધુ રૂ. ૨૦.૦૦ લાખ પાંચ વર્ષના અભ્યાસક્ર્મ માટે શહેરી વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં. ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં. ૪૦% કે તેથી વધુ વિકલાંગતાનું પ્રમાણપત્ર. વાલી નિયમિત આવકનો સ્ત્રોત ધરાવતો હોવો જોઇએ. વાલીની આવક રુ. ૫.૦૦ લાખથી ઓછું હોવું જોઇએ. વિધાર્થી અગાઉની પરીક્ષામાં ઓછામાં ઓછું ૫૦% અથવા સમકક્ષ ગુણ મેળવેલ હોવા જોઇએ. લોન વાલી તથા લાભાર્થીને સંયુકત રીતે આપવામાં આવશે. ૫૦,૦૦૦/- સુધી ૫% વ્યાજનો દર. ૫૦,૦૦૦/- થી રુ. ૫.૦૦ લાખ સુધી ૬% વ્યાજનો દર. રુ. ૫.૦૦ લાખથી ઉપર ૮% વ્યાજનો દર. લાભાર્થી ફાળો રુ. ૪.૦૦ લાખ સુધી શૂન્ય. ભારતમાં રુ. ૪.૦૦ લાખથી વધુ ૫% વિદેશમાં રુ. ૫.૦૦ લાખથી વધુ ૧૫% મહિલા લાભાર્થીને વ્યાજના દરમાં ૧% રીબેટ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી ૭ વર્ષમાં પરત ચુકવણી કરવાની રહે છે. સ્ત્રોત- ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ ની વેબસાઈટ.