આ વાત છે રૈયાવણ ગામના વાલીબહેનના જમીન માલિકીના સંઘર્ષની.રૈયાવણ ગામ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું અંતરિયાળ ગામ છે જેની મોટાભાગની વસ્તી આદિવાસી જાતિની છે.આ વિસ્તારના લોકોની મુખ્ય આજીવિકાના સ્ત્રોત ખેતી અને પશુપાલન છે.આ ગામમાં વાલીબહેન તેમના પતિ, છોકરા છોકરીઓ સહિત સાથે રહે છે. જેમની આજીવિકાનું મુખ્ય સાધન ખેતી હોઇ તેઓ પોતાની ં જમીન ખેડી તેમના કુટુંબનું ગુજરાન ચલાવે છે..ખેતી વરસાદ આધારિત છે કે સિંચાઇની ત્યાં વ્યવસ્થા છે? પોતાના ખેતરોમાં કયા પાકો વાવવાં? પાકોનું વેચાણ કયાં કરવું? તેમજ અન્ય કૌંટુબિક નિર્ણયો લેતાં. છેલ્લા કેટલાક વર્ષેાથી ઉત્થાન,સંસ્થા આ ગામમાં ગ્રામીણ વિકાસની વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે.જેમાંના મહિલા કાર્યક્રમ અંતર્ગત રૈયાવણ ગામમાં રાધા કિશન નામના બચત સંગઠનની રચના કરવામાં આવી અને તેના પ્રમુખ તરીકે આ જ ગામના વાલીબહેનની નિમણૂંક કરવામાં આવી. આ સંગઠનની દર મહિને નિયમિતપણે મીટીગો યોજવામાં આવે છે અને તેના સભ્યોના ક્ષમતાવર્ધન હેતુ અવારનવાર મહિલા અધિકારો, ન્યાય અને તેની કાયદાકીય જોગવાઇઓ તેમજ નાણાંકીય સ્વાતયત્તતા અંગેની અનેકવિધ તાલીમો અને પ્રેરણા પ્રવાસોનું આયોજન પણ કરાય છે.વળી, વાલીબહેન ખૂબ ઉત્સાહી, મહેનતુ અને આત્મવિશ્વાસુ મહિલા હોઇ તેમણે આ બધી પ્રવૃત્તિઓમાં વિશેષ રસ લઇ તેમના સંગઠનને એક આદર્શ સંગઠન તરીકે વિકસાવ્યું. આ અરસામાં વાલીબહેનના પતિ ગુજરી જતાંં તેમના શિરે તેમના પરિવારની સારસંભાળ,સામાજિક કાર્યો તેમજ તેમના કુટુંબના જીવનનિર્વાહની પૂરેપૂરી જવાબદારી પણ આવી પડી. વળી તેમની પાસે પતિના નામ પરની જમીન પર ખેતી કરવી તે જ માા જીવનનિર્વાહનો એક સ્ત્રોત હતો. આ હકીકતથી વાલીબહેનના દિયર અને જેઠ સારી રીતે વાકેફ હોવા છતાં તેઓ આ જમીન પોતાના નામે કરાવી તેના પર કબજો જમાવવા માંગતા હતા. જેથી તેઓ અવારનવાર વાલીબહેનને હેરાનગતિ કરતા હતાં.પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ એવા વાલીબહેને પણ ટેક લીધી કે,ગમે તે ભોગે તેઓ પોતાના પતિના નામની જમીનના વારસદાર તરીકે પોતાનું નામ સરકારી ચોપડે દાખલ કરાવીને જ જંપશે. શરૂઆતમાં તેમણે ગામ સ્થિત બચતસંગઠનના અને ધાનપુર સ્થિત વનિતા શકિત મહિલા સંગઠનના સભ્યો તથા ઉત્થાન સંસ્થાના કાર્યકારીગણ સમક્ષ પોતાના દિયર અને જેઠ દ્વારા તેમને કરવામાં આવતી માનસિક હેરાનગતિની વાત કરી.(વનિતા શકિત મહિલા સંગઠન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પર ગામોમાં ચાલતા નાના નાના મહિલા મંડળોનું બનેલું અને ૪૦૦૦ જેટલા મહિલા સભ્યોનું બનેલું એક મોટું સંગઠન છે.જે વિસ્તાર સ્થિત મહિલાઓના, શાંતિ,ન્યાય,સમાનતા અને અધિકાર,તેમજ આજીવિકા,હિંસા તેમજ ભ્રષ્ટાચારના મુદ્દાઓને ઓળખી તે અંગે સંગઠનના સભ્યો અને સમુદાયનું જાગૃતિવર્ધન અને સક્ષમતાવર્ધન,જરૂર પડયે વ્યકિતગત મુશ્કેલીઓમાં મોટા જૂથોનું દબાણ ઊભું તેમજ ચળવળ ઊભી કરે છે.) તેમની પાસેથી મહિલાઓના અધિકારો ખાસ કરીને મહિલાઓનો જ્મીન માલિકીનો અધિકાર અને તેને મેળવવાની પ્રક્રિયા અંગેની જાણકારી મેળવી. આ ઉપરાંત મહિલાઓના જમીન માલિકીના અધિકાર માટે રાજ્યમાં ચાલતા ભ્ગ્ભ્લૈ જેના આધારે સૌ પહેલાં તો તેમણે પોલિસ સ્ટેશન પર તેમના જેઠ અને દિયરના વિરોધમાં ફરિયાદ નોંધાવી. ત્યારપછી મામલતદાર શ્રી.સમક્ષ સ્વર્ગસ્થ પતિના નામની જમીન પરની પોતાની માલિકી બાબતની વાત રજૂ કરી અને તેમના માર્ગદર્શન હેઠળ તે જમીન મેળવવાની જરૂરી કાર્યવાહી પણ કરી. જો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પણ તેમના જેઠ અને દિયરે તેમને શારીરિક માનસિક હેરાનગતિ કરવાનું ચાલુ રાખ્યું.આખરે તેમણે તેમના પતિની જમીનના વારસદાર તરીકે પોતાનું અને પોતાના દીકરા અને દીકરીનું નામ પણ દાખલ કરાવી સફળતા મેળવી. આમ, જમીન માલિકીના પરના અધિકાર બાબતની સજાગતા અને તે પ્રાપ્ત કરવા માટેના અડગ નિશ્ચય અને અથાક પ્રયત્નો થકી વાલીબહેન તેમના પતિની જમીન પર માલિકી મેળવીને જ રહ્યાં. આ રીતે મહિલાઓની જમીન માલિકીની લડત થકી વાલીબહેને — પૂરો પાડયો જમીન પરના મહિલા અધિકારોનો જીવંત દાખલો સ્ત્રોત: ઉત્થાન ટિમ