વિહંગાવલોકન : આદિવાસી કન્યાઓ માટેની નિવાસી શાળાઓ છે અને ગુજરાત રાજ્યની દસ જિલ્લાઓમાં, ભારત સરકારના આદિજાતિ બાબતો માટેના મંત્રાલયની અનુસૂચિત જનજાતિની કન્યાઓના શિક્ષણના સુદ્રઢીકરણની યોજના અંતર્ગત ચાલે છે. ઉદ્દેશ : આદિવાસી કન્યાઓની ૧૦૦% શાળા નોંધણી થાય તે માટે સહાયક બનીને તેમજ પ્રાથમિક કક્ષાએ શાળા છોડી જવાના પ્રમાણમાં ઘટાડો લાવીને, દેશની સામાન્ય મહિલા વસતિ અને આદિવાસી મહિલા વસતિ વચ્ચે સાક્ષરતાના કક્ષામાં રહેલું અંતર ઓછું કરવું પ્રારંભ: ૨૦૦૮-૦૯ ભાગીદાર સંસ્થા : ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થા મંડળી (GSTDREIS) અથવા એકલવ્ય આદર્શ નિવાસી શાળા મંડળી (EMRS) ભૌગોલિક ભૂમિભાગ : તમામ જિલ્લાઓ અપેક્ષિત લાભાર્થીઓ: અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ (કન્યાઓ) યોજના નીચે લાભ :અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણ સાથે રહેણાકીય નિવાસ સુવિધા અગત્યની સિધ્ધિ : હાલમાં ૭૯૦૬ અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને માટેની ૪૩ શાળાઓ કાર્યરત છે. સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ