હેતુ : અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ પોતાની કારકીર્દી બનાવવા તત્પર હોય છે. પરંતુ તેઓની સામાજિક, આર્થિક પરિસ્થિતિ, યોગ્ય માર્ગદર્શન તથા કોચીંગ વર્ગોના અભાવે મેડીકલ, એંજિનીયરીંગના પ્રવેશ માટેની NEET-JEE વિ. ની પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તે હેતુથી . અને આઇ.આઇ.એમ., સેપ્ટ, નીફટ, એનેએલ.યુ. જેવી ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષાની તૈયારી માટે કોચીંગ આપવામાં આવે તો અનુસૂચિત જાતિના વિધ્યાર્થીઓ આવી પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચ કારકીર્દી બનાવી શકે. પાત્રતાના માપદંડો: ધો. -૧૦ માં ૭૦% કે તેથી વધુ ગુણ સાથે થયેલ હોવા જોઇએ. અને ધોરણ -૧૧ કે ૧૨ માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઇએ. સહાયનું ધોરણ : ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહ પાસ કરી મેડીકલ એન્જીનીયરીંગ, પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વિધાર્થીદીઠ રૂ. ૨૦,૦૦૦ ની સહાય આવક મર્યાદા : આવક મર્યાદા નથી. સ્ત્રોત-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ